!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!
પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે,
ખરા દિલથી કરેલ પ્રાર્થનાનો વીમો જરૂર પાકે છે.
પ્રાર્થનાનો વીમો ઉતરાવવા માટે કોઈ એજન્ટની જરૂર પડ્તી નથી,
ભગવાન અને ભક્ત વચ્ચે થયેલ એક બિનશરતી કરાર છે.
પરંતુ એક કઠિન શરત એ છે કે નિ:સ્વાર્થભાવ હોવો જોઈએ,
પ્રાર્થનાનાં વીમા માટે GIC ને અરજી કરો,
યાને કે God Insuranace Corporation
આ GIC 24 x 7 દિવસ ચાલે છે, એને સમયની કોઈ પાબંદી નથી.
ભગવાન પાસે આપણી પ્રાર્થના સાંભળવાનો સમય છે, પરંતુ સવાલ એ છે કે આપણી પાસે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય છે કે નહિ.
આ વીમા કરારનો સ્વીકાર કરવો કે ન કરવો એ
God Insuranace Corporation ના હાથમાં છે.
તેનુ પ્રિમિયમ રોકડ સ્વરૂપમાં ભરવાનું નથી,
તેને ત્યાં તો વિશ્વાસ નામનો બેલેન્સ ચેકથી જ ખાતું ખોલાવવું પડે છે.
 
આ ચેક જમા કરવો કે ઉધાર કરવો તે માટે
 એ ધનરાશિનું પ્રાપ્તિસ્થાન જોવામાં આવે છે.
તેને કોઈ ખરાબ વાયરસ તો નથી લાગ્યાને,
પછી એને સ્કેન કરવામાં આવે છે,
બધા માર્કાની તપાસ કરીને જ જમા લેવામાં આવે છે.
બોગસ જણાતા ચેકો રિટર્ન કરવામાં આવે છે.  
 
આ વીમો પકવવા માટે ભગવાને કેટલાક Norms નક્કી કરેલ છે,
 જેવાં કે પ્રમાણિકતા, જીવદયા, સંયમ, સંસ્કાર, સાદગી, વિદ્યાદાન છે.
કહેવાય છે કે જેણે વિદ્યાદાન કરેલ હોય તે જ કન્યાદાન કરી શકે.
આ બધામાંય શ્રેષ્ઠ પૂજ્ય મોરારિબાપુના કહેવા મુજબ, 
“ જેના પૂર્વજોએ ગૌદાન કરેલ હોય તેને ત્યાંજ દીકરી જન્મ લે છે. ”
કર્મ વગર પ્રાર્થનાનું ફળ આ કળિયુગમાં મળતુ નથી.
આ મનુષ્ય લોકમાં પ્રભુ સ્મરણ કરવા માત્રથી પ્રભુ ફળ આપે જ છે.
આવા મજબુત આધાર સ્તંભોથી જ પ્રભુની પેઢી ચાલે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top